Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

રા.લો.સંઘના ચેરમેન અને ‘અકિલા' પરિવારના નરેન્‍દ્રસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ રાજકોટ લોધીકા તાલુકા સંઘના ચેરમેન અને ‘અકિલા' પરિવારના શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ છે. તા.૨-૧૧-૧૯૬૧ના રોજ જન્‍મેલા નરેન્‍દ્રસિંહ આજે યશસ્‍વી જીવનના ૬૧ વર્ષ પૂર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ રા.લો.સંઘના ચેરમેન હોવાની સાથોસાથ જીવન બેંકના ડિરેકટર, કાઠીયાવાડ જીમખાનાના પ્રમુખ, ખીરસરા સહકારી મંડળીના પ્રમુખ, જાગૃતિ શ્રમજીવી સોસાયટી ભોમેશ્વરના પ્રમુખ, રાજશ્રી સેવા શ્રમ (સાત હનુમાન મંદિર, સિદ્ધેશ્વર ગૌશાળા)ના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અનેકવિધ સામાજીક કાર્યો સાથે પણ સંકળાયેલા છે. તેઓ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષી નેતા પણ રહી ચૂકયા છે. તેઓના કાર્યકાળ દરમિયાન પ્રજાના અનેક પ્રશ્નો મામલ સત્તાધીશોને જોરદાર ટકકર આપી હતી. નરેન્‍દ્રસિંહ જાડેજાના જન્‍મદિવસે તેઓને પરિવારજનો, મિત્રવર્તુળો, સગા- સંબંધીઓ, સ્‍નેહીજનો તરફથી શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.(મો.૯૮૨૪૦ ૭૭૭૯૩)

 

(10:42 am IST)