Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

પીજીવીસીએલ દ્વારા દિવંગતોને અંજલી

રાજકોટ : પીજીવીસીએલ નિગમીત કચેરી તેમજ પીજીવીસીએલ હેઠળની કચેરી ખાતે મોરબી ખાતે થયેલ દુર્ઘટના સબબ યોજાયેલ પ્રાર્થના સભા યોજાઇ હતી. ગુજરાત સરકાર દ્વારા મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ર તરીકે આજ રોજ સમગ્ર રાજયમાં રાજકીય શોક જાહેર કરેલ છે તે અન્વયે મેનેજીંગ ડીરેકટર, સર્વે સિનીયર અધિકારીઓ તેમજ કર્મચારીઓએ આ સભામાં હાજરી આપેલ અને દિવંગત આત્માઓને શાંતિ મળે તથા તેમના આપ્તજનોને આ વિપતિ સહન કરવાની શકિત મળે તેવી ભાવવાહી પ્રાર્થના કરાયેલ હતી.

(3:19 pm IST)