Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

મોરબી દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા હતભાગીઓને રાજકોટ પીડીયુ નર્સિંગ વિભાગ દ્વારા બે મિનીટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અપાઇ

રાજકોટઃ મોરબીમાં ઝૂલતા પૂલ ખાતેની ગોઝારી દૂર્ઘટનામાં મૃત્યુ પામનારા હતભાગીઅોને શ્રધ્ધાંજલિ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યવ્યાપી શોક દિવસ જાહેર કરવામાં આવ્યો હોઇ તે અંતર્ગત રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતાં નસિ*ગ કર્મચારીઅો દ્વારા બે મિનીટનું મોન પાળી  સદ્દગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભગવાન તેઅોની આત્માને શાંતિ અર્પે અને ઍમના સ્વજનો પર આવી પડેલ અણધારી આફતને સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

 

(3:44 pm IST)