Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd November 2022

વિરાટનગરના વૃધ્‍ધને મારમારી ધમકી આપનારા સામે કાર્યવાહી કરવા રજુઆત

અમૃતલાલ વસાણીની પોલીસ કમિશ્નરને અરજી

રાજકોટ તા.ર : વિરાટનગર મેઇન રોડ પર નાલંદા સ્‍કુલની પાસે રહેતા વૃધ્‍ધને તેના કૌટુંબીભાઇ સહિતે મારમારી ધમકી આપતા પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ કરી છ.ે
વિરાટનગર મેઇન રોડના છેડે નાલંદા સ્‍કુલની આગળ રહેતા અમૃતલાલભાઇ મોહનલાલભાઇ વસાણી (ઉ.૬૩) એ પોલીસ કમિશ્નરને કરેલી લેખીત રજુઆતમાં નગીનભાઇ હરીલાલભાઇ વસાણી, રાજુભાઇ નગીનભાઇ વસાણી, રાજુભાઇના પત્‍ની, ભુપતભાઇ, ભગાભાઇ, રાજુભાઇ ચમનભાઇ વસાણી અને અનુભાઇ (રહે. રઘુવીર સોસાયટી)ના નામ આપ્‍યા છે. અમૃતલાલભાઇએ પોલીસ કમિશ્નરને કરેલી અરજીમાં જણાવ્‍યું છે કે પોતે નિવૃત જીવન ગાળે છે. પોતાના સંબંધી નગીનભાઇની તબીયત બરાબર ન હોઇ તેની ખબર કાઢવા માટે ગયા હતા ત્‍યારે આ તમામ લોકોએ ઉશ્‍કેરાઇ જઇ કાંઇ વાંક વગર પોતાને ગાળો આપી ફડાકો મારી ઘરની બહાર કાઢી મુકી બીજી વખત આવતો નહી કહી માર મારવાની ધમકી આપ્‍યાનો આક્ષેપ કર્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(3:54 pm IST)