Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નશો કર્યા બાદ ઝેર પી લીધું: જામજોધપુરના મેથાણ ગામના ગિરીશભાઇ રાઠોડનું મોત

રાજકોટમાં દમ તોડ્યોઃ પાંચ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: જામજોધપુર તાબેના મેથાણ ગામે રહેતાં ગિરીશભાઇ મુળજીભાઇ રાઠોડ (ઉ.વ.૪૨)એ ગઇકાલે સવારે ઘરે ઝેરી દવા પી લેતાં ઉપલેટા, રાજકોટ ખાનગીમાં અને છેલ્લે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રાથમિક કાર્યવાહી કરી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ ગિરીશભાઇ છુટક મજૂરી કરતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર તથા ત્રણ પુત્રી છે. ગિરીશભાઇને નશો કરવાની ટેવ હતી. દારૂ પીધા બાદ ભાન ભુલી માથે ઝેરી દવા પી લીધી હતી. તેમ પરિવારજનોએ કહ્યું હતું.

(11:49 am IST)