Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

નાના મવા રોડ નહેરૂનગરમાં રૂપલ જાદવએ ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો

રાજકોટ તા. ૩: નાના મવા રોડ નહેરૂનગર-૧ આર્ય સમાજની સામે મહાકાળી પાનવાળી શેરીમાં રહેતી રૂપલબેન જેરામભાઇ જાદવ (ઉ.વ.૨૫) નામની યુવતિએ ઘરે છતના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

રૂપલબેને સાંજે સાતેક વાગ્યા આસપાસ આ પગલુ ભરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી દક્ષાબેને કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના પીએસઆઇ બી. જે. કડછાએ જાણ કરતાં માલવીયાનગરના હેડકોન્સ. અશ્વિનભાઇ કાનગઢ અને રવિરાજસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર રૂપલબેને બે ભાઇની એકની એક વચેટ બહેન હતી. તેના પિતા મજૂરી કામ કરે છે. રૂપલબેનને આંચકીની બિમારી હતી. કદાચ તેનાથી કંટાળીને આ પગલુ ભર્યાનું તેણીના પરિવારજનોએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(12:57 pm IST)