Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd February 2021

બેભાન હાલતમાં દેવાયતભાઇ, ધનજીભાઇ અને મનોજભાઇના મૃત્યુ

ત્રણેયએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩: બેભાન હાલતમાં ત્રણ વ્યકિતએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ભગવતીપરા-૨૦માં રહેતાં દેવાયતભાઇ અણદાભાઇ રાઠોડ (ઉ.વ.૬૫), આજી વસાહત ખોડિયારપરા-૧૬માં રહેતાં ધનજીભાઇ કાનજીભાઇ સાકરીયા (ઉ.વ.૬૫) અને સાધુ વાસવાણી રોડ આદિત્ય હાઇટ્સમાં રહેતાં મનોજભાઇ શશિકાંતભાઇ શાહ (ઉ.વ.૪૫)  ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્રણેયએ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝન તથા યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(12:58 pm IST)