Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

કાલે જયોતિષ મહાસંમેલનઃ નિઃશુલ્‍ક જયોતિષ માર્ગદર્શન શિબિર

વિખ્‍યાત જયોતિષચાર્ય ડો.મહેન્‍દ્રભાઇ પંડયાનું માર્ગર્ઘ્‍શન

રાજકોટઃ અખિલ ગુજરાત એસ્‍ટ્રોલોજીકલ સોસાયટી દ્વારા ૭૬મું જયોતિષ મહાસંમેલન નિઃશુલ્‍ક જયોતિષ માર્ગદર્શન શિબિર આવતીકાલે તા.૪.૩ને શનિવાર બપોરે ૨થી સાંજે ૭ સુધી અરવિંદભાઇ મણિયાર હોલ, જુબીલી ગાર્ડન, ખાતે યોજાયેલ છે. જેમાં પ્રધાન વકતા જયોતિષાચાર્ય ડો.મહેન્‍દ્રભાઇ પંડયા(ઋષિરાજ) (ભવિષ્‍યદર્શન વીટીવી) રહેશે. તેમ અગાસ યુવા મોરચો, રાજકોટ શાષાી કૌશિકભાઇ જે ભટ્ટ ૯૮૨૪૨ ૩૯૪૫૧ (જીલ્‍લા પ્રમુખ) શ્રી ભરતભાઇ એમ વ્‍યાસ ૯૯૭૯૧ ૬૬૮૯૫ (મહામંત્રી)એ યાદીમાં જણાવાયુ છે

આ અંગે વધુ માહિતી માટે અખિલ ગુજરાત એસ્‍ટ્રોલોજીકલ સોસાયટી મુખ્‍ય કાર્યાલય, ૧૭-૨૦૦, આકાશદીપ એપાર્ટમેન્‍ટ, અખબારનગર પાસે, નવાવાડજ, અમદાવાદ તેમજ નામ નોંધણી માટે મો. ૯૮૨૫૪ ૭૩૪૭૩, ૭૯૯૦૬ ૧૫૦૯૦

(11:46 am IST)