Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

ધૈર્યરાજસિંહ માટે અનુદાન

મહીસાગર જિલ્લાના કાનેસર ગામના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે ફંડ એકત્ર કરવા હાથ ધરાયેલ અભિયાન અંતર્ગત રાજકોટમાં કૃપાબા મોહીતસિંહ રાઠોડે ભરૂડી ટોલનાકા ખાતે ઉભા રહી રૂ.૧૩૦૦૨ નું ફંડ એકત્ર કરી દાદા ભરતસિંહ રાઠોડના હસ્તે કરણી સેના પાસે રકમ જમા કરાવી હતી. એજ રીતે સ્વ. રવજીભાઇ ગંગદાસભા ચાવડાના સ્મરણાર્થે ત્રિવેણી ટ્રાન્સપોર્ટવાળા જીણાભા ગંગદાસભા ચાવડા તથા મનજીભાઇ ગંગદાસભા ચાવડાના હસ્તે રૂ.૧૦,૦૦૦ નું ફંડ કરણીસેનામાં જમા કરાવાયુ હતુ. પુષ્કરધામ સોસાયટીના લોકોએ પણ રૂ.૧૪૫૦૦ નું ફંડ અર્પણ કરેલ. આમ  ત્રણ પરિવારો તરફથી મળેલ કુલ રૂ. ૩૭,૫૦૨ જેવી રકમ ધૈર્યરાજસિંહ રાઠોડના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હતી.

(11:40 am IST)