Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મ.ન.પા. દ્વારા પ્રધાનમંત્રી આવાસો હેઠળ

વધુ ૮ સ્થળે આવાસ યોજના : ૪૧૭૧ ફલેટ : સોમવારથી ફોર્મ વિતરણ

પુનિતનગર પાણીના ટાંકે ૬૨૪ ફલેટ - ૧૩ માળ : પાળ મેઇન રોડ પર ૪૩૨ ફલેટ ૯ માળ : કણકોટ રોડ પર ૬૨૦ ફલેટ ૫ માળ : નાનામવા રોડ પર ૨૬૦ ફલેટ ૧૩ માળ : વિમલનગર મેઇન રોડ ૨૮૮ ફલેટ ૯ માળ : ૧૫૦ રીંગ રોડ ઓસ્કાર ગ્રીન પાસે ૪૪૮ ફલેટ ૭ માળ અને પાળ રોડ પર ૨૭૨ ફલેટ ૯ માળ : 1BHKના ૩ લાખ, ૧/૨ બીએચકેના ૫.૫૦ લાખ, 2BHKનાં ૨૪ લાખ કિંમત : ICICI બેંકની ૬ બ્રાન્ચ અને મ.ન.પા.ના તમામ સિવિક સેન્ટરોમાંથી ૩૦ એપ્રિલ સુધી ફોર્મ મળશે : ફોર્મ સાથે કેટેગરી મુજબ ૩ થી ૨૦ હજાર ડીપોઝિટ લેવાશે

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮ સ્થળોએ EWS -1 ના ૧૬૪૮ અને EWS-2 ના ૧૬૭૬ તથા MIG ના ૮૪૭ મળી કુલ – ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટે તા.૦૫/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધીનો સમયગાળો રહેશે. આવાસના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.

અગાઉ આવાસ યોજનામાં ફોર્મ ભરનાર લાભાર્થીએ ભાડાકરાર આપવાનો નિર્ણય કરવામાં આવેલ. ભાડાકરાર આપવા માટે લાભાર્થીઓ ખૂબ જ પરેશાન થયેલ. જેને ધ્યાનમાં રાખી હાલમાં આવાસ યોજનાનાં ફોર્મમાં લાભાર્થીઓને ભાડાકરાર આપવામાંથી મુકિત આપવામાં આવેલ છે.

EWS -1ના આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS -1ના આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ અને ફોર્મ સાથે રૂ.૧૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

MIGનાં આવાસની કિંમત રૂ.૨૪ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

EWS -1 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS-2 : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૩ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

MIG : કુટુંબની મહત્ત્।મ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.

EWS-1 : આ યોજના હેઠળ આવાસોનો લઘુત્ત્।મ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૩૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

EWS-2 : આ યોજના હેઠળ આવાસોનો લઘુત્તમ કાર્પેટ વિસ્તાર અંદાજીત ૪૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે.

MIGમાં કુલ ૧૨૬૮ આવાસ પૈકી ૪૨૧ આવાસ અગાઉ ફાળવણી થઇ ગયેલ છે બાકી રહેતા ૮૪૭ આવાસો માટે ફોર્મનું વિતરણ થશે. MIGમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ્ડ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી સાંજે ૩.૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦.૩૦ થી બપોરે ૦૩.૦૦ વાગ્યા સુધીનો રહેશે.

નોંધૅં- ફોર્મ લેવા માટે અરજદારે આધાર કાર્ડ સાથે રાખવું ઇચ્છનીય છે.

(3:08 pm IST)