Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

મજેવડીમાં સુરાપુરા દાદાની ડેરી રાજકોટના વૃધ્ધ મનહરલાલભાઇએ ઝેરી દવા પી લેતા મોત

રાજકોટ,તા. ૩: જૂનાગઢના મજેવડી ગામ પાસે સુરાપુરા દાદાની ડેરી પાસે રાજકોટના વૃધ્ધે ઝેરી દવા પી લેતા તેનુ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એચ.જે. દોશી હોસ્પિટલ પાસે પંચશીલ સોસાયટીમાં રહેતા મનહરલાલભાઇ કાલીદાસભાઇ સાંગાણી (ઉવ.૮૦)એ જૂનાગઢના મજેવડીગામ પાસે સુરાપુરા દાદાની ડેરી પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇ કાલે તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ. રાજેશભાઇએ પ્રાથમીક કાગળો કરી જૂનાગઢ મોકલવા તજવીજ હાથ ધરી છે. એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:12 pm IST)