Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રણુજા મંદિર પાછળ રહેતાં હસમુખભાઇ મારૂનું બેભાન હાલતમાં મોત નિપજ્યું

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ પાવર હાઉસ પાસે રહેતાં હસમુખભાઇ રણછોડભાઇ મારૂ (લુહાર) (ઉ.વ.૪૫) બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર છ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે ચશ્માના કારખાનામાં કામ કરતાં હતાં. મોડી રાતે અચાનક બેભાન થઇ જતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ મોડુ થઇ ગયું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(3:03 pm IST)