Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

એનએસયુઆઇના પ્રદેશ મહામંત્રી ધાર્મિંક માથુકીયા 'આપ'માં જોડાયા

 રાજકોટ : અમદાવાદમાં ધાર્મિક માથુકીયા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી, યુવા નેતા નિખિલ સવાણી અને સીવાયએસએસના પ્રદેશ હર્ષિલ રોહિતની હાજરીમાં પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે એએપીમાં જોડાયા હતા. ધાર્મિક માથુકીયા ગુજરાત પ્રદેશ મહામંત્રી એન.એસ.યુ.આઇ તરીકે કાર્યરત હતા. ઉપરાંત અનેક પ્રકારની સામાજિક અને શૈક્ષિણક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, વેપાર અને ભ્રષ્ટાચારમુકિતના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખુણે ખુણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

(3:58 pm IST)