Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

દિવાળી - નૂતનવર્ષ પર્વની શુભેચ્છા પાઠવતા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા

રાજકોટ તા. ૩ : શહેરીજનોને દિપાવલી અને નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી અને શહેરના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાએ જણાવ્યું હતું કે દિપાવલીનું પર્વ માનવ સમુદાયમાં નવી આશા, નવો ઉત્સાહ, અને નવી ઉર્જાનો સંચાર કરે છે, ત્યારે નયનરમ્ય રંગોળીના રંગ અને દૈદીપ્યમાન રોશનીનું આ પર્વ માનવજીવનમાં અંધકારરૂપી ઓછાયો દુર કરી પ્રકાશ ફેલાવે છે, આશાના મહેલ ઉંચા કરે છે.  દિવાળીના દિવસોમાં દેવમંદિરો રોશનીથી શણગારાય છે, ઘેર–ઘરે દીપોની હારમાળા સર્જાય છે, બજારોમાં માનવમેદની ઉભરાય છે. અને મીઠાઈ, ફટાકડા અને આતશબાજીથી નુતન વર્ષને આવકારાય છે બાળકોથી લઈને મોટેરાઓ દરેક માટે સૌથી મહત્વપૂર્ણ અને પ્રિય તહેવાર દિવાળી છે. એટલે જ દિવાળી એ ભારતનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રખ્યાત તહેવાર માનવામાં આવે છે ત્યારે રંગ અને રોશનીથી ઝળહળતું દિપાવલી–નુતન વર્ષનું પાવન પર્વ સૌના જીવનમાં ખુશીરૂપી ઉજાશ લાવે એમ અંતમાં રક્ષાબેન બોળીયાએ શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું.

(3:03 pm IST)