Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબી બ્રિજ દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલીઃ મનપામાં પ્રાર્થનાસભા યોજાઇ

રાજકોટ : મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતોના આત્માઓને શાંતિ માટે આજે તા. ૨ના રોજ બુધવારે સવારે ૧૧ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરીમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૌન પાળી અને શાંતિ પ્રાર્થના કરી તેમજ ભજનીકો દ્વારા ભકિત ભજન કરી, દિવંગતોના આત્માને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી.  આ પ્રાર્થનાસભામાં મેયર ડો. પ્રદિપ ડવ, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસકપક્ષ નેતા  વિનુભાઈ ઘવા, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર,  એ.આર.સિંહ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કશ્યપભાઈ શુકલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ,  નરેન્દ્રસિંહ ઠાકુર તેમજ વિવિધ સમિતિના ચેરમેનો અને કોર્પોરેટરો, મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા.

(3:28 pm IST)