Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ભાજપ દ્વારા તમામ વોર્ડમાં શોકસભાઃ મોરબી દુર્ઘટનાના દિવંગતોને શ્રધ્ધાંજલી

રાજકોટ : શહેર ભાજપ દ્વારા મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં હતભાગી થયેલા દિવંગતોને શ્રધ્ધાસુમન પાઠવવા અને દિવંગતોના આત્માની શાંતિ અર્થે શહેરના તમામ વોર્ડમાં શોકસભા યોજવામાં આવેલ હતી. આ તકે તમામ વોર્ડમાં શહેર ભાજપના આગેવાનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદો મોહનભાઇ કુંડરીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, મેયર ડો. પ્રદિપ ડવ, ડો. ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ભાવનગર શહેર ભાજપ પ્રભારી કશ્યપ શુકલ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, પુષ્કર પટેલ, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ શોકસભામાં તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઘટનામાં દિવંગત થયેલા લોકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની ઇશ્વર શકિત પુરી પાડે અને દિવંગતોને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરી હતી.

(3:28 pm IST)