Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની સાદાઇથી ઉજવણી

રાજકોટઃ શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આનંદનગર નિલકંઠ ટોકીઝ ખાતે જલારામ બાપાની જન્મ જયંતિની સાદગી પૂર્વક ઉજવવામાં આવી હતી. જેમાં બપોરે મહાઆરતી રેખાબેન ભરતભાઇ નથવાણી, ક્રિષ્નાબેન રાજુભાઇ  ચોટાઇ (રસીકભાઇ ચેવડાવાળા) પ્રતાપભાઇ પટેલ સહિતના દાતાઓના હસ્તે કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે અને સાંજે-અન્નકુટ દર્શન સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો. જલારામ સેવા મંડળ ટ્રસ્ટ તથા લીનાબેન સમીરભાઇ રાજાણીએ તમામ  દાતાઓનો આભાર માનેલ હતો. તેમ યાદીમાં જણાવાયુ છે.

(3:06 pm IST)