Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

ભારત તિબ્‍બત સંઘ દ્વારા પ્રાર્થના સભા

ભારત-તિબ્‍બત સંઘ રાજકોટ મુખ્‍ય શાખા તથા મહિલા વિભાગ અને યુવા વિભાગ દ્વારા મોરબીમાં થયેલ દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા આત્‍માઓને પ્રભુ પોતાના ચરણમાં સ્‍થાન આપે અને ઘાયલ લોકોને ઇશ્વર જલ્‍દી સ્‍વસ્‍થ બનાવે તે હેતુથી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવાનો કાર્યક્રમ રામેશ્વર મંદિર ખાતે યોજાય ગયો.

આ શોકાંજલી અને પ્રાર્થના સભામાં એડકવોકેટ ડો.નિખીલ ભટ્ટ, જીવનનગરના બહેનો, એડવોકેટ રૂદ્ર, દિવ્‍યાબેન ભટ્ટ, ડો.નિલમબેન પરમાર, પુનિતાબેન, શોભનાબેન, વિનોદભાઇ તથા ભારત-તિબ્‍બત સંઘના સ્‍થાનીક હોદેદારો, કાર્યકરો તથા જીવન નગરના ભાઇ-બહેનો તથા રામેશ્વર મહાદેવ મંદિર ગ્રુપના હોદેદારો અને સભ્‍યો વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા અને ભારત તિબ્‍બત સંઘના પ્રદેશના હોદેદારોએ પણ મોરબી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા આત્‍માઓને શાંતિ અર્થે શોકાંજલી અર્પી હતી. આ પ્રસંગે એડવોકેટ ડો.નિખીલભાઇ ભટ્ટ્‌એ શ્રધ્‍ધાંજલિ સભાનું સંચાલન કર્યુ હતું. તેમ ડો.મૃણાલીનીબેન ઠાકર પ્રદેશ અધ્‍યક્ષ મહિલા વિભાગ(ગુજરાત પ્રાંત), ભારત-તિબ્‍બત સંઘની યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)