Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

મોરબીની એલ.ઇ.કોલેજના પ્રોફેસર સામે ચેક પાછો ફરતા કોર્ટમાં થયેલ ફરિયાદ

રાજકોટ તા. ૩ : ઉછીની રકમ પરત આપવા આપેલ ચેક રીટર્ન થતા એલ.ઇ.કોલેજ-મોરબીના પ્રોફેસર મનોજ વાઘેલા સામે ફરીયાદ થતા કોર્ટે સમન્‍સ કાઢી હાજર થવા હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી  છે કે, રાજકોટના મુંજકા ગામે રેતા સુરેશભાઇ બાબુભાઇ દોંગાએ તેમના મીત્ર અને ઓળખાણનો સબંધ ધરાવતા અને હાલ મોરબીની એલ.ઇ.કોલેજમાં આસીસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે નોકરી કરતા મનોજભાઇ ભીખુભાઇ વાઘેલાને ઉછીના પેટે રોકડા રૂા.૬,૦૦,૦૦૦ અંકે રૂપિયા છ લાખ પુરા મદદ માટે આપેલા હતા. જે રકમ સુરેશભાઇ બાબુભાઇ દોંગાએ પરત માંગતા પ્રોફેસર મનોજભાઇ ભીખુભાઇ વાઘેલાએ તેમના ખાતા વાળી બેંક ઓફ ઇન્‍ડિયા, કાલાવડ રોડ બ્રાંચ, રાજકોટનો ચેક આપેલ હતો જે ચેક ફરીયાદીએ તેમના ખાતા વાળી ધી કો-અપોરેટીવ બેંક ઓફ રાજકોટ લી., યુનીવર્સિટી રોડ બ્રાંચ, રાજકોટમાં ડીપોઝીટ કરતા સદરહું ચેક ફ્રન્‍ડ્‍સ ઇન્‍સફીસીયન્‍ટના શેરા સાથે બિન ચુકતે પરત ફરેલ છે.

આમ ફરીયાદીએ આ ચેક બિન ચુકતે પરત કરતા આ કામના આરોપીને ઉપરોકત રકમ ચુકવી આપવાની નોટીસ મોકલાવેલી આમ છતા આ કામના આરોપીઓ કોઇ રકમ ચુકવેલી નહી. તેથી આ કામના ફરીયાદીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુ્રુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ હેઠળ રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં કેસ દાખલ કરતા આરોપી અને પ્રોફેસર તરીકે નોકરી કરતા મનોજભાઇ ભીખુભાઇ વાઘેલાને સમન્‍સ ઇસ્‍યુ કરી કોર્ટમાં હાજર થવા હુકમ કરેલ છ.ે આ કેસમાં ફરીયાદી તરફે વકીલ અતુલ સી.ફળદુ તથા અજય કે. જાધવ રોકાયેલ છે.

(3:43 pm IST)