Gujarati News

Gujarati News

News of Thursday, 3rd November 2022

બીએપીએસ મંદિરે પ્રાર્થના સભા : મોરબીના દીવંગતોને શ્રધ્‍ધા સુમન

રાજકોટ : મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલ લોકોના આત્‍મ મોક્ષાર્થે બીએપીએસ મંદિર રાજકોટ ખાતે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. સંસ્‍થાના આધ્‍યાત્‍મિક વડા પૂ. મહંત સ્‍વામી મહારાજની પ્રેરણાની સંતો અને સ્‍વયંસેવકો દુર્ઘટનાગ્રસ્‍ત લોકોના બચાવ કાર્યમાં પણ જોડાયા હતા. જે લોકોએ સ્‍વજનો ગુમાવ્‍યા છે અને જેઓ સારવાર હેઠળ છે તેમને સધીયારો મળી રહે તે માટે બીએપીએસના તમામ મંદિરોમાં વિશેષ ધૂન અને પ્રાર્થના રાખવામાં આવી હતી. સંતો દ્વારા નિલકંઠવર્ણી મહારાજને અભિષેક કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

(3:59 pm IST)