Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

પૂર્વ કોર્પોરેટર રૂપાબેન શીલુના નિધનથી જાહેર જીવનને ખોટ : કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૪ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ પ્રદેશ ભાજપ મહીલા મોરચાના કારોબારી સભ્‍ય અને ભાજપના પૂર્વ નગરસેવક રૂપાબેન શીલુના નિધન બદલ શ્રધ્‍ધાંજલી પાઠવતા જણાવેલ કે રૂપાબેન શીલુ વર્ષોથી જાહેરજીવનમાં કાર્યરત રહીને લોકસેવા કરી હતી.

 ૨૦૧૫થી ૨૦૨૦ દરમ્‍યાન વોર્ડ નં. ૯ના  કોર્પોરેટર તરીકેની ટર્મમાં વોર્ડના લોકોની વચ્‍ચે રહી લોકપ્રશ્‍નોને જાણી અને તેના ત્‍વરીત ઉકેલ માટે ખુદ પોતે સરકારી અધિકારીઓના સંપર્કમાં રહેતા હતા.

પાર્ટી તરફથી તેમને ચૂંટણી નીરીક્ષણ તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવેલ હતી. તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં શીશુ કલ્‍યાણ સમિતિના ચેરમેન તરીકે પણ તેઓએ જવાબદારી સંભાળેલ. વર્તમાનમાં તેઓ જામનગર મહિલા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવતા હતા. તેમના અવસાનથી પાર્ટીને તેમજ જાહેર જીવનને ન પુરી શકાય તેવી ખોટ પડી હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ શ્રધ્‍ધાંજલી પાઠવતા જણાવેલ છે.

મહીલા મોરચો

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીતાબેન રાવલએ પ્રદેશ ભાજપ મહીલા મોરચાના કારોબારી સભ્‍ય અને જામનગર ભાજપ મહિલા મોરચાના પ્રભારી રૂપાબેન શીલુનું દુઃખદ અવસાન થતા તેમના કાર્યોને યાદ કરી ભાવપૂર્ણ શ્રધ્‍ધાસુમન અર્પણ કરેલ છે. 

(3:24 pm IST)