Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કોલ્‍હાપુરના રાજ પરિવારના યુવરાજ-સાંસદ સંભાજી રાજકોટમાં

રેસકોર્ષમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્‍પાંજલી કાર્યક્રમ યોજાયો

રાજકોટ : કોલ્‍હાપુર રાજપરિવારના યુવરાજ અને રાજયસભાના સાંસદ સંભાજીરાજે છત્રપતિ તા.૩ મંગળવારના રોજ રાજકોટ શહેરમાં કાર્યક્રમ અંતર્ગત આવેલ. જેના અનુસંધાને સાંસદ સંભાજીરાજ છત્રપતિની ઉપસ્‍થિતિમા રેસકોર્ષ ખાતે આવેલ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયેલ. આ પ્રસંગે રાજયસભાના સાંસદસભ્‍ય રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી ᅠકિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ જુદીજુદી કમિટીના ચેરમેન, સ્‍થાયી સમિતિના સભ્‍યો કોર્પોરેટરો વગેરે ઉપસ્‍થિત રહેલ. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્‍ય, પદાધિકારીઓ વગેરે દ્વારા રાજયસભાના સાંસદ ᅠસંભાજીરાજે છત્રપતિનું પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી, સ્‍વાગત કરેલ અને મેયર ડો.પ્રદિપ ડવએ હ્રદયપૂર્વક શાબ્‍દિક સ્‍વાગત સાથે સાંસદ સંભાજીરાજે છત્રપતિને આવકારેલ.

(4:01 pm IST)