Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોરબી શાખાનું નવીનીકરણઃ લોનની મંજૂરી શકય બનશે

રાજકોટઃ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નવી પેઢીની એમ.એસ.એમ.ઈ.શાખાનું મોરબી ખાતે ઉદ્ઘાટન કરાયું. બેંકની યોજના માર્ચ ૨૦૨૨ સુધી સમગ્ર ભારતમાં ૫૦ સ્થળોએ નવીનીકરણ કરવાની છે. આ સિવાય બેંકના ગ્રાહકો, બેંકના શ્રેષ્ઠ ઉત્પાદનોને પસંદ કરી શકે છે. જયાં એમ.એસ.એમ.ઈ.લોન, ડિપોઝીટ, ફોરેૅા સેવાઓ, એલસી/ બીજી ક્રેડિટ કાર્ડ, વીમા ઉત્પાદનો વગેરે બધુ જ એક સ્થળ પર ઉપલબ્ધ થશે. એમ.એસ.એમ.ઈ. ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરતા એમ.એસ.એમ.ઈ. ફર્સ્ટ શાખા તુરંત જ લોન મંજૂર કરી આપવા સક્ષમ હશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(3:26 pm IST)