Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

દિવ્યાંગ મહેશભાઈ જુરયાણી દ્વારા ૯૫મી વખત રકતદાન

રાજકોટઃ મહેશભાઈ  જુરયાણી (ઉ.વ.૪૩) પીજીવીસીએલમાં સર્વિસ કરે છે. જેઓ પૂર્ણ દિવ્યાંગ છે અને સિવિલ હોસ્પિટલના દર્દીના લાભાર્થે તપસ્વી સ્કુલમાં ૯૫મી વખત રકતદાન કરેલ. જેઓ નિયમીત ત્રણ માસે રકતદાન કરે છે. શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણીના માગદર્શન હેઠળ સતત સિવિલમાં રકતદાન કરી યુવકોને રકતદાન કરવા પ્રોત્સાહીત કરે છે.

(4:09 pm IST)