Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દિવાળી ઇફેકટ : ગોધરા-દાહોદ- ઝાલોદ- ગરબાળા સહિતના વિસ્તારો માટે એસટી દ્વારા એડવાન્સ બુકીંગ કાઉન્ટર

શાસ્ત્રીમેદાન બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા મુસાફરો માટે આજથી તા. ૧૩ સુધી ફ્રી મીનીબસ સર્વિસ

રાજકોટ,તા. ૪: પંચમહાલ તરફ નો મુસાફરોનો ટ્રાફિક ૦૯/૧૧ (સોમવાર) થી ૧૩/૧૧ (શુક્રવાર) સુધી વધુ હોવાનુ અને રૂટિન કરતા પ્રતિ દિવસ જે એડવાન્સ બુકીંગ થતુ તેમા વધારો થઈ ડબલ થઈ જતા, વધારાની ગોધરા, દાહોદ, ઝાલોદ, ગરબાળા, ગાંગેરડી, મંડોર તરફ બત્રીસ (૩૨) બસ એડવાન્સ બુકીંગ ની સુવિધા સાથે ઉમેરેલ છે તથા બસ પોર્ટ ખાતે વધારાનુ એડવાન્સ બુકીંગ નુ કાઉન્ટર પણ ચાલુ કરેલ છે. તેમ એસટીના અધિકારીઓએ ઉમેર્યંુ હતું.

પંચમહાલ તરફના કે અન્ય તમામ ગ્રામ્ય મુસાફરો કે જેઓ લોધીકા, કોટડા, ગોંડલ, જુનાગઢ કે જસદણ તરફ ના રૂટો એ થી શાસ્ત્રી મૈદાન એ ઉતરતા હોય અને ઢેબર રોડ બસ પોર્ટ એથી ઉપડતી બસોમાં જવા માંગતા હોય તેઓ માટે આજથી તારીખ ૧૩ સુધી બપોરે ૦૨:૦૦ થી રાત્રે ૧૦:૩૦ કલાક સુધી મીની બસ ફ્રી સર્વિસ રાખેલ છે.

આ ઉપરાંત પંચમહાલ તરફ ના કે અન્ય તમામ ગ્રામ્ય મુસાફરો કે જેઓ લોધીકા, કોટડા, ગોંડલ, જુનાગઢ કે જસદણ તરફ ના રૂટો એ થી શાસ્ત્રી મૈદાન એ ઉતરતા હોય અને ઢેબર રોડ બસ પોર્ટ એથી ઉપડતી બસો મા જવા માંગતા હોય તેઓ માટે આવતી કાલ થી ૧૩ તારીખ સુધીબપોરે ૨:૦૦ થી રાત્રે ૧૦:૩૦ કલાક સુધી મિની બસ ફ્રી સર્વિસ રાખેલ છે.

(3:25 pm IST)