Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ખોટા RT PCR રિપોર્ટ કાઢવાના મામલે બે ડોક્ટર સહિત ત્રણને ઘર ભેગા કરતા રાજકોટ કલેકટર રેમ્યા મોહન

ખોડાપીપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને લેબટેકને તાતકાલિક અસરથી છુટા કરી દેવાયા

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં આરટીપીસીઆર ટેસ્ટના ખોટા રિપોર્ટ અને પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્સન સહિતની કાર્યવાહી કરવા જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચના આપી હતી એ અન્વયે પ્રાંત અધિકારી ( રાજકોટ ગ્રામ્ય ) તથા જિલ્લા કમિટીના પ્રાથમિક અહેવાલને પગલે જવાબદારો સામે તાતકાલિક અસરથી કડક પગલાં લેવા મળેલ સૂચના મુજબ ડો, સાગર જમનભાઈ ડોબરીયા,મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડા પીપર , કુ, દિપ્તીબેન રૂપારેલિયા લેબટેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડાપીપર તથા ડો, પ્રફુલ વી ઠુંમર ,આર,બી,એસ,કે, ( ધન્વંતરિ રથ મેડિકલ ઓફિસરને તાતકાલિક અસરથી છુટા કરવા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કરેલ છે

 વધુમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોડાપીપર નીચે આવતા 13 ગામોમાં ટીમ બનાવીને તમામ વસ્તીને સર્વેલન્સ ધન્વંતરિ રથ દ્વારા ટેસ્ટિંગ અને કોવીડ -19 રોકથામની આનુસંગિક કામગીરી તાત્કાલિક અસરથી કરવા પ્રાંત અધિકારીને સૂચના આપવામાં આવેલ છે

(8:01 pm IST)