Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ડો. બી.આર. આંબેડકર ચેર સેન્ટર દ્વારા

આખો એપ્રિલ માસ 'ભીમ જીવન ગાથા રસામૃત' નું દરરોજ ઓનલાઇન પ્રસારણ

રાજકોટ તા. ૫ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબા સાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર સેન્ટર દ્વારા આગામી તા. ૧૪ ના ડો. આંબેડકર જયંતિ નિમિતે આખો માસ જીવનચરિત્ર કથા ઓનલાઇન રસામૃતનું આયોજન કરાયુ છે.

 રજા સિવાયના દિવસો સોમથી શુક્ર દરરોજ સાંજે ૪ થી ૪.૩૦ દરમિયાન પ્રા. ડો. આર. બી. સોલંકી અને ડો. દિનુભાઇ ચુડાસમા રસાળ શૈલીમાં ડો. આંબેડકરજીડો. ધનંજય કીર લિખિત જીવન ચરિત્રનું રસપાન કરાવશે.

સમગ્ર એપ્રિલ માસ દરમિયાન 'ભીમજીવન ગાથા રસામૃત' એપિસોડનું જીવંત પ્રસારણ સાંભળવા ઝુમ એપ અને ડો. આંબેડકર ચેર સેન્ટરના ફેસબુક પેજ, યુ-ટયુબ ચેનલની મુલાકાત લેવા જણાવાયુ છે.

(11:44 am IST)