Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મેં રસી લીધી, તમે પણ લઇ લ્યોઃ અનિલપ્રસાદ જોષી

રાજકોટ સ્થિત ઝુંડાળાવાળા કથાકારની અપીલ

રાજકોટ તા. પઃ મૂળ ઝુંડાળાના વતની વર્ષોથી રાજકોટ સ્થિત સુપ્રસિધ્ધ કથાકાર શાસ્ત્રી શ્રી અનિલપ્રસાદજી જોષી (મો. ૯૯૧૩પ ૩૦૦૪૭) એ નાનામવા રોડ પરના મહાનગરપાલિકા આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વિરોધી રસી મુકાવી છે તેઓ સ્વસ્થ છે. તેમણે જણાવ્યું છે કે મહામારી સામે રસી ઉતમ ઇલાજ છે. સૌ કથાકારો, કલાકારો અને સરકારના નિયમ મુજબ પાત્રતા ધરાવતા સૌ લોકો રસી મુકાવી લ્યે તેવી મારી અપીલ છે.

(3:07 pm IST)