Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સિવિલ હોસ્પિટલમાં કોવિડ રસિકરણ આજથી ઓડિટોરીયમ ખાતે થશે

રાજકોટ તા. ૫: સિલિ હોસ્પિટલમાં કોવિડ રસિકરણ કેન્દ્ર અત્યાર સુધી કોવિડ હોસ્પિટલ બિલ્ડીંગમાં કાર્યરત હતું. પરંતુ હવે આ જગ્યાએ દર્દીઓ માટે ૨૫ થી ૩૦ વધારાના બેડ મુકવાના હોઇ જેથી રસિકરણ કેન્દ્ર આજ તા. ૫થી સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ રૂમ નજીક આવેલા પીડીયુ મેડિકલ કોલેજના ઓડિટોરીયમ ખાતે ફેરવવામાં આવ્યું છે.રસિકરણ માટે આવતાં લોકોને સિવિલ હોસ્પિટલના જામનગર રોડ તરફના કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ સામેના હાલમાં જ ખોલવામાં આવેલા ગેઇટમાંથી એન્ટ્રી લેવા હોસ્પિટલ તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે.

(3:36 pm IST)