Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

શ્વાસ ચડતાં પારૂલબેન કાકડીયાનું, બેભાન હાલતમાં ઉષાબેન આસોડીયાનું મોત

જયરામ પાર્ક અને પ્રજાપતિ નગરના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૫: કોઠારીયા રોડ પર સંજીવની હોસ્પિટલ પાછળ જયરામ પાર્કમાં રહેતાં પારૂલબેન હિતેષભાઇ કાકડીયા (ઉ.વ.૩૩)ને રાતે અગિયારેક વાગ્યે શ્વાસ ચડતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતકના પતિ વકિલની ઓફિસમાં કામ કરે છે. તેણીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. એએસઆઇ વી. બી. સુખાનંદી અને કિરીટભાઇ રામાવતે જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં પેડક રોડ પ્રજાપતિનગર-૫માં રહેતાં ઉષા રતિલાલ આસોડીયા (ઉ.વ.૫૪) સાંજે સાતેક વાગ્યે બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃતક અપરિણિત હતા. તેમને ડાયાબીટીસ, કિડની સહિતની બિમારીહો હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

(12:12 pm IST)