Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાષ્ટ્રીયશાળા દ્વારા રચનાત્મક અગ્રણી ઉષાકાંતભાઇ માંકડને પુષ્પાંજલી

રાજકોટ : રાષ્ટ્રીયશાળાના ટ્રસ્ટી તેમજ સૌરાષ્ટ્રની ગાંધી વિચારધારા ધરાવતી સંસ્થાઓની સાથે સંકળાયેલા ઉષાકાંતભાઇ માંકડનું અવસાન થતા તેમને પુષ્પાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાષ્ટ્રીયશાળા મુખ્ય હોલમાં રાખવામાં આવ્યો હતો. જીવનપર્યંત ખાદી પહેરતા અને સાથી કાર્યકરોને ખાદી પહેરવાનું માર્ગદર્શન આપતા ઉષાકાંતભાઇના રોમેરોમમાં ગાંધીજીના વિચારો ઉતરેલા હતા. પુષ્પાંજલી કાર્યક્રમમાં રાષ્ટ્રીયશાળાના પ્રમુખ મનસુખભાઇ જોશી, મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઇ ભટ્ટ સહીત જયંતિ કાલરીયા, હીંમતભાઇ ગોડા, અલ્પનાબેન ત્રિવેદી, ધીરૂભાઇ ધાબલીયા, ડો. વલ્લભભાઇ કથીરીયા, કલ્પકભાઇ મણિયાર, નિદતભાઇ બારોટ, યજ્ઞેશભાઇ જોશી, પરાગભાઇ ત્રિવેદી, નંદલાલ જોષી, વલ્લભભાઇ લાખાણી સહીતના કાર્યકરો ઉપસ્થિત રહેલ.

(3:10 pm IST)