Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

રાજકોટ-પોરબંદર અને સોમનાથ-જબલપુર ટ્રેન હવેથી ભકિતનગર સ્ટેશને ઉભી રહેશે

પૂર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણીની સફળ રજૂઆત

રાજકોટ તા. પ :.. અત્રેનાં ભકિતનગર સ્ટેશન ખાતે રાજકોટ-પોરબંદર ટ્રેનનો સ્ટોપ છેલ્લા ઘણા મહીનાથી કોરોનાની સ્થીતીને કારણે બંધ કરેલ હતો. પરંતુ હવે કોરોનાનાં કેસ નહીવત છે. આથી ભકિતનગર સ્ટેશને આ ટ્રેનનો સ્ટોપ આપવા અહીંથી અપ-ડાઉન કરતાં મુસાફરોએ માંગ ઉઠાવી હતી.

જે અનુસંધાને રેલ્વે તંત્રએ રાજકોટ - પોરબંદર અને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ ચાલુ કરી દીધાનું શ્રી રાજાણીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવાયા મુજબ ટ્રેન નં. ૦૯પ૭૪ પોરબંદર-રાજકોટ સ્પેશ્યલ ટ્રેન સાંજે ૬.૧પ વાગ્યે ભકિતનગર સ્ટેશને આપશે. જયારે ટ્રેન નં. ૦૧૪૬૩/૦૧૪૬પ સોમનાથ-જબલપુર સ્પેશ્યલ ટ્રેન બપોરે ૧.૩પ વાગ્યે ભકિતનગર સ્ટેશને આવશે. અને ટ્રેન નં. ૦૧૪૬૪/૦૧૪૬૬ જબલપુર - સોમનાથ ટ્રેન પણ બપોરે ૧૩.૩૦ વાગ્યે ભકિતનગર સ્ટેશને આવશે.

(4:03 pm IST)