Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021

દ્વાદશ જયોર્તિલિંગ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરતા મેયર પ્રદિપ ડવ : રાજકોટ સુરક્ષિત અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી

રાજકોટ : ડો.પ્રદિપ ડવની ૧૨ માર્ચથી મેયર તરીકે વરણી થયેલ. વરણીના થોડા દિવસ બાદ જ કોરોના મહામારીના ઘાતક લહેર આવેલ. હાલમાં કોરોના ખૂબ જ હળવો પડી ગયેલ છે. ત્યારે ગઇ કાલ તા. ૪ ના રોજ સૌરાષ્ટ્રમાં આવે દ્વાદશ જયોર્તિલિંગ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી સમગ્ર દેશ કોરોના મહામારીમાંથી મુકત થાય અને તમામનું જીવન ધબકતુ થાય તેમજ રાજકોટ શહેરના નગરનો સુરક્ષિત અને સ્વસ્થ રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. તે વખતની તસ્વીર સૌરાષ્ટ્ર પર હંમેશા ઇશ્વરની કૃપા રહે છે. અને સૌરાષ્ટ્રના રહેવાસી પણ ખૂબ જ શ્રધ્ધા ધરાવે છે અને આફતના સમયે ખભેખભા મિલાવી હંમેશા કામ કરવા અગ્રેસર રહે છે.

(4:07 pm IST)