Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

દ્વારકેશ પાર્ક સોસાયટીના બહેનો દ્વારા રંગોળી દીવડાઓ પ્રગટાવાયા

પ્રદીપ ડવ પરિવારે નવી કાર ખરીદી દિવસ યાદગાર બનાવ્યો

રાજકોટઃ સમગ્ર ભારતનું આસ્થાનું કેન્દ્ર એવા અયોધ્યા ખાતે ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટેની શિલાન્યાસ વિધિ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ. જેનો આનંદ સમગ્ર દેશભરમાં છે ત્યારે ગુરૂપ્રસાદ ચોક પાસે આવેલ દ્વારકેશ પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા આ શિલાન્યાસ વિધિની ઉજવણી સ્વરૂપે સોસાયટીના ગેઈટ પર શ્રી રામ નામ અને ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજી ચિત્ર અને ધજાની રંગોળી કરી અને ધજાની રંગોળી કરી અને દિવડાઓ પ્રગટાવી આ દિવસની ઉજવણી કરેલ હતી. સોસાયટીના આયુષી ફળદુ, ઉર્વશી ભાડેશીયા, ચંદ્રિકાબેન ગોંડલિયા, વિધિ અકવાલિયા, હેતલબેન ચિત્રોડા, ભાવિકાબેન કુકડિયા, રિયાબેન ત્રાબડિયા, ઋત્વી ગજજર બહેનો દ્વારા રંગોળી કરવામાં આવેલ. દરમિયાન આ જ સોસાયટીમાં રહેતા રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ અને વોર્ડ નં.૧૨ પ્રભારી ડો.પ્રદીપ ડવ દ્વારા આજના શુભ દિવસે નવી કાર ખરીદી આ દિવસને પોતાના જીવન માટે યાદગાર બનાવ્યો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:16 pm IST)