Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

બેભાન હાલતમાં ચાર વ્યકિતના મોત

હસમુખભાઇ ડાભી, કાનજીભાઇ સિધ્ધપરા, બાબુભાઇ પરસોડા અને અંજનાબેન કતિરાએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૫: બેભાન હાલતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતાં. ગ્રીનલેન્ડ ચોકડી પાસે હરસિધ્ધી સોસાયટી મેઇન રોડ પર રહેતાં હસમુખભાઇ વશરામભાઇ ડાભી (ઉ.વ.૫૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તેઓ કન્સ્ટ્રકશનનું કામ કરતાં હતાં. સંતાનમાં બેપ ુત્ર છે. બી-ડિવીઝન પોલીસે એડી નોંધી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં સંત કબીર રોડ રાજારામ-૧૦માં રહેતાં કાનજીભાઇ લક્ષમણભાઇ સિધ્ધપરા (ઉ.વ.૪૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. આ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક મંડપ સર્વિસનું કામ કરતાં હતાં.

ત્રીજા બનાવમાં ભગવતીપરા ભુમિપ્રસાદ કારખાના પાસે રહેતાં બાબુભાઇ ખેંગારભાઇ પરસોડા (ઉ.વ.૪૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં રૈયા રોડ કનૈયા ચોક પાસે જ્ઞાનજીવન સોસાયટી-૩માં રહેતાં અંજનાબેન ભરતભાઇ કતિરા (ઉ.વ.૬૩) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(12:46 pm IST)