Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

ભીમરાવનગર પાસેથી મૃત નવજાત બાળક મળ્યું

રાજકોટ તા. પ : શહેરના આજીડેમ પાસે ભીમરાવનગર શેરી નં. ૯/૧૦ ના ખૂણે રામાપીરના મંદિરની સામે ખાણ પાસે પટ્ટમાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા આજીડેમ પોલીસે સ્થળ પર પહોંચી નવજાત બાળકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. કોઇ અજાણી મહિલાએ બાળકનો જન્મ થતા મૃતહાલતમાં ત્યજી દીધું હોવાનું જાણવા મળ્યું છે આ બાળકના કોઇ વાલી વારસ હોઇ તો આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડા મો. ૮૪ર૯૯ ૯૬૬૯૯ પીએસઆઇ એમ. ડી. વાળા મો. ૮ર૦૦૦ પર૦૩પ તથા આજીડેમ પોલીસ સ્ટેશન ફોન નં. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:40 pm IST)