Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સરકાર અને જિલ્લા પંચાયતના શાસનથી પ્રજાની નારાજગીનો પડઘો : અર્જુન ખાટરિયા

મોંઘવારીનો માર અને ખેડૂતોની પરેશાનીની અસર ધારાસભાની ચૂંટણીમાં પણ દેખાશે

રાજકોટ તા. ૫ : જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાએ સાણથલી અને શિવરાજપુર બેઠકના પરિણામને આવકારી ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે આ પરિણામને સરકાર અને જિલ્લા પંચાયતના ભાજપના શાસનને જાકારારૂપ ગણાવ્યું છે.

અર્જુન ખાટરિયાએ જણાવેલ કે, જિલ્લા પંચાયતમાં ભાજપના શાસનના ટુંકાગાળા પછી આવેલું આ પરિણામ ઘણુ કહી જાય છે. જન આશિર્વાદ તો યાત્રાઓ કાઢનાર ભાજપ સાથે નહી પણ કોંગ્રેસ સાથે છે. બેહદ મોંઘવારી, બેકારી અને ખેડૂતોના પ્રશ્નોના કારણે લોકોએ ભાજપને પછડાટ આપી છે. ભાજપ ગમે તેવા નિર્ણયો કરે પણ લોકશાહીમાં લોકો જ સર્વોપરી છે. તે આ પરિણામથી સાબિત થયું છે. અમે મતદારોના આભાર સાથે વધુ લોકસેવા કરવાનું વચન આપીએ છીએ.

(1:03 pm IST)