Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

'વૈષ્ણવ જન તો...' પૂ.બાપુને વંદના

રાજકોટઃ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ, રાજકોટનાં ઉપક્રમે પૂજય મહાત્મા ગાંધીની ૧૫૨મી જન્મજયંતિએ પૂજય બાપુના વિદ્યાર્થીકાળના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત ગાંધીજીનામ અતિ પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ...થી કરવામાં આવી. મહેમાનોનો પરિચય સંસ્થાના ટ્રસ્ટી અનામિકભાઈ શાહએ આપેલ અને સુતરની આંટીથી સ્વાગત વિનોદભાઈ ગોસલિયાએ કરેલ. આ પ્રસંગે મુ.઼ઢેઢુકીની સંસ્થા 'લોકમિત્રા'ના ચૈતન્યભાઈ ભટ્ટ દ્વારા 'મારા ગાંધી' વિષય ઉપર પ્રવચન આપી પૂજય બાપુને શબ્દાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનાં પ્રમુખસ્થાને વિમલ રીસર્ચ સોસાયટી, રાજકોટનાં ડો.વિરેન્દ્રભાઈ પટેલએ વકતવ્ય આપેલ. આ પ્રસંગે ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનાં પ્રમુખ મનસુખભાઈ જોષી, ધીરૂભાઈ ધાબલિયા, જયંતિભાઈ કાલરિયા, અનામિકભાઈ શાહ,  વિનોદભાઈ ગોસલિયા, ડો.કુમુદબેન નેને, બળવંતભાઈ દેસાઈ તથા ડો.અલ્પનાબેન ત્રિવેદી તેમજ વિદ્યાર્થીઓએ હાજર રહી પૂજય બાપુને શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા ગાંધી સ્મૃતિ ટ્રસ્ટનાં સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવેલ.

(3:31 pm IST)