Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

આશાપુરા ગરબી મંડળ ગણેશ સોસાયટી

 રાજકોટઃ છેલ્લા એક દાયકાથી ગણેશ સોસાયટી સ્થિત શ્રી આશાપુરા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહાપર્વનું ખૂબ ભકિતભાવથી ઉજવણી કરવામાં આવે છે. ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. શ્રી આશાપુરા ગરબી મંડળમાં અવનવા પ્રાચીન કલાત્મક રાસ ભારે આકર્ષણ જગાવે છે. જેમાં લોક સાહિત્યકાર જયુભા સિંધવ ઉર્ફ શિવરાણા દ્રારા અવનવા રાસ તથા આખ્યાનો રજુ કરવામાં આવશે આશાપુરા ગરબી મંડળ જૂના ગણેશ શેરી નં-૧૦ /૨ નાગબાઈ પાનવાળી શેરીમાં આશાપુરા ગરબી મંડળ ના આયોજક પ્રવીણસિંહ જાડેજા, નીરૂભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, કાંતીભાઈ રંગાણી, અલ્પેશ પટેલ,રાજૂ મેવાશિયા, હીરેન હાપલીયા (હકા સૂરા) પંકજ કમાણી,ધીરુભાઈ અઘાડા, શિવરાજસિંહ જાડેજા, આણંદજીભાઈ, મુકેશભાઈ, રાહૂલ ડાભી, રવી ચૌહાણ,વીજય બોરીચા  અનેક નામી અનામી આયોજકો જહેમત ઊઠાવી રહ્યા છે તો તમામ ધર્મ પ્રેમી જનતા ને રાસ ગરબા આખ્યાન નીહાળવા આમંત્રણ છે.

(3:31 pm IST)