Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

''આપ'' દ્વારા શહીદ ખેડુતોને શ્રધ્ધાંજલી

 આમ આદમી પાર્ટી શહેર તથા જિલ્લાના સંયુકત ઉપક્રમે લખીમપુરના ખેડુતોની શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ મવડી ચોકડી ખાતે યોજાયો હતો. તમામ વોર્ડના પદાધિકારી તેમજ વિવિધ મોરચાના હોદેદારો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદ ખેડુતોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ. આ કાર્યક્રમ આમ આદમી પાર્ટી શહેરના અધ્યક્ષ શિવલાલ પટેલ તેમજ જિલ્લા પ્રમુખ તેજશભાઇ ગાજીપરાની આગેવાનીમાં યોજાયો હતો.

(3:32 pm IST)