Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા ર,રપ,૦૦૦ હનુમાન ચાલિસાનાં પાઠની પૂર્ણાહુતિ પ્રસંગે કાલે હોમાત્મક યજ્ઞ

રાજકોટ તા. પઃ સદ્દગુરૂ આશ્રમ માર્ગ પર આવેલ શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ-૧ થી ભાદરવા વદ-૩૦ (અમાસ) સુધીમાં ર,રપ,૦૦૦/- (બે લાખ પચ્ચીસ હજાર) શ્રી હનુમાન ચાલિસાના પાઠ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ધર્મપ્રેમીભાઇ-બહેનો દ્વારા કરવામાં આવેલા, ર,૯૦,પરર (બે લાખ નેવું હજાર પાંચસો બાવીસ) પાઠ પ. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને અર્પણ કરવામાં આવશે. આ ર,રપ,૦૦૦/- (બે લાખ પચ્ચીસ હજાર) શ્રી હનુમાન ચાલિસા પાઠની પૂર્ણાહુતી પ્રસંગે કાલે તા. ૬ બુધવારે ભાદરવી અમાસના દિવસે શ્રી હોમાત્મક યજ્ઞ શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા સાથે ભગવાનને અર્પણ કરવામાં આવશે. યજ્ઞનું પુજન ૬-૩૦ કલાકે, યજ્ઞ પ્રારંભ કલાકે, બાહુક બપોરે ૧રઃ૩૦ કલાકે, બિડુ હોમવાનો સમય ૧:૦૦ વાગ્યાનો રહેશે. ધાર્મિક કાર્યક્રમમાં શ્રી હનુમાન ચાલીસીનાં હોમાત્મક યજ્ઞમાં ઉપસ્થિત રહી લાભ લેવા સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

(3:32 pm IST)