Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ડીએચ કોલેજના પ્યુન દામજીભાઇ ધરણીયાનું મોતઃ પરિવારમાં શોક

કમળો થઇ જતાં કેટલાક દિવસથી તબિયત બગડી હતીઃ બીજા બનાવમાં વિજયનગરના અલ્પેશપરીનું મોત

રાજકોટ તા. ૫: ડો. યાજ્ઞિક રોડ પર આવેલી ધર્મેન્દ્રસિંહ કોલેજના કેમ્પસમાં આવેલા કવાર્ટરમાં રહેતાં અને આ કોલેજમાં જ પ્યુન તરીકે ફરજ બજાવતાં દામજીભાઇ બીજલભાઇ ધરણીયા (ઉ.વ.૫૭) સાંજે સાડાઆઠેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

 મૃત્યુ પામનારને સંતાનમાં પાંચ પુત્ર છે. તેમને કેટલાક દિવસથી કમળો થઇ ગયો હોઇ બિમાર હતાં. ગઇકાલે તબિયત વધુ બગડી હતી અને દમ તોડી દીધો હતો.

બીજા બનાવમાં કોઠારીયા રોડ વિજયનગર-૧માં રહેતાં અલ્પેશપરી કાંતિપરી ગોસાઇ (ઉ.૩૦)ને લિવરની બિમારી હોઇ મોડી રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. સંતાનમાં દોઢ વર્ષની પુત્રી છે. તે કારખાનામાં કામ કરતો હતો. બંને બનાવમાંહોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહ ઝાલાએ એ-ડિવીઝન અને ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

(3:36 pm IST)