Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

કોઠારિયા સોલવન્ટમાં કારખાનામાં કારખાનેદાર જયદીપભાઇ ખૂંટનો ફાંસો ખાઇ આપઘાત

યુવાનના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસઃ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી

રાજકોટ તા. પ : ખોખડદળ ગામમાં રહેતા કારખાનેદારે કોઠારિયા સોલવન્ટમાં આવેલા પોતાના કારખાનામાં ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ખોખડદળ ગામમાં રહેતા જયદીપભાઇ ચંદુલાલભાઇ ખૂંટ(ઉ.વ.૩ર) એ ગઇકાલે કોઠારિયા સોલવન્ટમાં આવેલા પવનપુત્ર ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.૬માં આવેલા પોતાના કારખાનામાં ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેના સાળા કારખાને આવતા જયદીપભાઇને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયો હતા બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી અમીતભાઇ પ્રજાપતીએ તપાસ કરતા યુવાનનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ  ડી.એ.પરમાર સહિત સ્થળ પર દોડી ગયા હતા. મૃતક જયદીપભાઇએ કયાક કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છ.ે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(4:14 pm IST)