Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

પ્રજાપતિ સમાજ વિજયભાઈ સાથે આત્મીયતા સાથે જોડાયેલો છેઃ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જોડાશે

રાજકોટ,તા.૫: રાજકોટ શહેર નાગરિક ઋણ સ્વીકાર સમિતિ દ્વારા રાજકોટના પનોતા પુત્ર પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સમાજના તમામ સ્તરના લોકો સેવાઓને સલામ કરવા આગામી શુક્રવાર તા.૮ ઓકટોબરે કાલાવડ રોડ ઉપરના બીએપીએસ સ્વામીનારાયણ હોલ ખાતે ઋણ સ્વીકાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજયભાઈ રૂપાણી આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં રાજકોટના વિવિધ જ્ઞાતિ- ગોળના પ્રજાપતિ સમાજના મોભીઓ, જાગૃત પ્રજાપતિ યુવાનો વિશાળ સંખ્યામાં હાજરી આપીને પારકી છઠ્ઠીના જાગતલ અને રાજકોટનું ગૌરવ એવા પ્રજા સેવક એવા વિજયભાઈ રૂપાણીની કદી ભૂલાય નહિ એવી લોક સેવાઓને સલામ કરીને વિજયભાઈને ફૂલડે વધાવશે.

આયોજનમાં પ્રજાપતિ સમાજના મોહનભાઈ વાડોલીયા, ગોરધનભાઈ કાપડીયા, રમેશભાઈ સોરઠીયા, હરેશભાઈ મોરીધ્રા, મનસુખભાઈ ધંધુકીયા, પ્રવિણભાઈ જેઠવા, યોગેશભાઈ ઉનાગર સહિત પ્રજાપતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

(4:16 pm IST)