Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

નવરાત્રીના તહેવાર અંતર્ગત શેરી ગરબાના આયોજકો સાથે ગાંધીગ્રામ પોલીસે બેઠક યોજી સૂચનાઓ આપી

રાજકોટઃ આગામી નવરાત્રીના તહેવાર અનુસંધાને ૪૦૦ લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજવાની છૂટ આપવામાં આવી હોઇ આવા આયોજનોમાં કોરોનાને લગતી સરકારની માર્ગદર્શિકા અને પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો અમલ કરવામાં આવે તે અંગે સુચના આપવા ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે. દિયોરાની સૂચના અને માર્ગદર્શન મુજબ શેરી ગરબાના આયોજકો સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એક બેઠક યોજાઇ હતી. પીઆઇ કે. એ. વાળાએ જરૂરી સૂચના આપી હતી.

(8:40 pm IST)