Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

ગુજરાતી લોકસંગીત, ભજન, કીર્તન, ‘સોળ સંસ્‍કાર' કૃષ્‍ણગાન અને થીમપ્રોગ્રામથી ભાવિકો ભાવવિભોર

વિદેશની ધરતી ઉપર સ્‍વર અને સૂરની રમઝટ બોલાવતા વિનોદ પટેલ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર ગુજરાત અને દેશ વિદેશમાં ખ્‍યાતનામ અને આજ સુધીમાં જેમણે ૩૨૬૦ જેટલા વનમેન શો કરી ભારતીય ગીત સંગીત દુહા, લોક સંગીત, ગુજરાતી ગીતોને સથવારે વિદેશની ધરતી ઉપર આપણી પ્રાચીન કલા સંસ્‍કૃતિને ઉજાગર કરી સુર અને સંગીતને કોઈ સરહદ નડતી નથી તે વાતની પ્રતિતિ કરાવનાર એટલે રાજકોટના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત કલાકાર ગુજરાત ગૌરવ એવોર્ડ વિનર અને આકાશવાણી- રાજકોટ ‘એ' ગ્રેડ કલાકાર વિનોદ પટેલ મો.૯૪૨૬૨ ૪૩૪૩૪.

આ શબ્‍દો હિન્‍દુધર્મ ટેમ્‍પલ, કેલીફોર્નીયા આયોજીત ગુજરાત લોક સંગીત કાર્યક્રમમાં વાઈસ પ્રેસીડેન્‍ટ જવાહર શાહે ઉચ્‍ચાર્યા હતા. આ પ્રસંગે ચેરપર્સન પુષ્‍પા પટેલ, પ્રમુખ જી.જે. ઝાલા, સ્‍પોન્‍સર નલિનીબેન સોલંકી ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સેરીટોઝના પૂર્વ મેયર નરેશ સોલંકીએ ગુજરાત ગૌરવ પુરસ્‍કાર મેળવનાર વિનોદ પટેલનું સન્‍માન પત્ર અને સાલ ઓઢાડી સન્‍માન કર્યું હતું. કાર્યકર ડોલીબેન તથા જગદીશ પુરોહિતે જહેમત ઉઠાવી હતી.

શિકાગો, પ્રેસીડેન્‍ટ રમણભાઈ પટેલના નિમંત્રણથી ૫૦૦થી વધુ સભ્‍યોની હાજરીમાં માનવસેવા હોલમાં સંગીત પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. યુનાઈટેડ સીનીયર પરિવારની ૧૪મા વર્ષની ઉજવણીના ભાગરૂપે નિમંત્રણ મળતા અમેરીકા યાત્રા શરૂ થઈ હતી. સમગ્ર કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન શિકાગો કોન્‍સ્‍યુલ વિનોદ ગૌતમ, ચેરમેન મફતભાઈ પટેલ, ટ્રસ્‍ટી ડો.ભરતભાઈ બારાઈ વગેરે હાજરી આપી હતી. કલાકાર વિનોદ પટેલે ભજનથી શરૂઆત કરી લોકગીત, સુગમ, કવિતા અને રાસગરબા રજુ કરી શ્રોતાઓની ચાહતા મેળવેલ હતી.

અમેરીકાના ડલાસમાં ભારતીય સિનિયર સીનિયર સીટીઝન સમાજ ખાતે પ્રવીણભાઈ પાનસુરીયા, વિજયભાઈ ભીમાણી, ડો.વિઠલભાઈ બબર, આયોજીત કાર્યક્રમમાં વિનોદ પટેલે ગીત, લોકસંગીત,  રજુ કર્યા હતા જયારે એટલાંટા ‘સનાતન મંદિર' ખાતે પણ સ્‍વર અને સુરની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે બીપીનભાઈ ચાંગેલા ઉપસ્‍થિત રહયા હતા. જયારે કેલીફોર્નીયામાં કબીર આશ્રમ ખાતે વિનોદ પટેલે કબીરના ભજન રજુ કરી પ્રેક્ષકોને ભાવવિભોર કર્યા હતા. આ પ્રસંગે મુકુન્‍દભાઈ ભકતા, રોહિતભાઈ ભકતા ઉપસ્‍થિત રહ્યા હતા.

શીકાગો ખાતે સિનિયર સીટીઝન સમાજ આયોજીત ‘જન્‍માષ્‍ટમી' કાર્યક્રમમાં વિનોદ પટેલે કૃષ્‍ણ જીવનગીતની કાવ્‍યાત્‍મક રજુઆત કરી હતી. આ તકે પ્રમુખ હરીભાઈ પટેલ હાજર રહ્યા હતા. જયારે ઉમિયાધામમાં ભકિતગીત અને કૃષ્‍ણગીત રજુ કર્યા જેમાં દેવેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. વિનોદ  પટેલ દ્વારા ન્‍યુર્જસી સ્‍વામીનારાયણ મંદિર વડતાલ ધામ ખાતે રામસ્‍વરૂપદાસજી આયોજીત કાર્યક્રમમાં ભકિત સંગીત રજુ કર્યુ હતું. ઉમિયાધામમાં કૃષ્‍ણગાન ગાયા હતા. આ તકે અતુલભાઈ વિષ્‍ણુભાઈએ જહેમત ઉઠાવી હતી. સ્‍વામી વિવેકાનંદ સોળ સંસ્‍કાર સહિતના થીમ પ્રોગ્રામ કરનાર વિનોદ પટેલે વિદેશમાં વસવાટ કરનાર આપણા ગુજરાતીઓની ભારે સરાહના પ્રાપ્‍ત  કરી હતી.

(3:57 pm IST)