Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

આરટીઓ પાછળ નરસિંહનગરમાં સંડાસના તૂટેલા ભુંગળાને કારણે દૂર્ગંધ આવતી હોઇ ધબધબાટી

ધર્મેશ રાઠોડ પર રામજી ઉર્ફ રામ, વિજય, શામજી, આલાજીએ લાફા મારી પથ્થરમારો

રાજકોટ તા. ૫: નરસિંહ નગરમાં રહેતાં વણઝારા યુવાન પર ઘરના સંડાસના ભુંગળા લીક થયા હોઇ તેના કારણે આવતી દૂર્ગંધને લીધે પડોશમાં રહેતાં તેના જ ગામના ચાર જણાએ ઝઘડો કરી લાફા મારી તેમજ પથ્થરમારો કરી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

બી-ડિવીઝન પોલીસે આ અંગે આરટીઓ પાછળ નરસિંહનગર-૭ના ખુણે રહેતાં અને ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવતાં ધર્મેશ ગલાજીભાઇ રાઠોડ (વણઝારા) (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી રામ ઉર્ફ રામજી બાબુજી ભાટી, વિજય અનાજી ભાટી, શામજી જીવાજી ભાટી અને આલાજી સુંદરજી ભાટી સામે ગુનો નોંધ્યો છે.

ધર્મેશે ફરિયાદમાં જણાવ્યું છે કે બુધવારે હું મારા કામ પર હતો ત્યારે કાકીએ ોરે અઢી આસપાસ ફોન કરી જણાવેલ કે રામભાઇ ભાટીના ઘરે આવ્યા છે અને આપણા ઘરની બહાર સંડાસના ભુંગળા લીક થતાં દૂર્ગંધ આવતી હોઇ તે તેનાથી સહન નથી થતી તેમ કહી બોલાચાલી કરે છે. આથી હું ઘરે આવ્યો હતો અને અમે બધા એક જ ગામના હોઇ મેં તેમને સમજાવતાં સમાધાન થઇ ગયું હતું. એ પછી સાંજે છએક વાગ્યે હું મજુરીએથી ઘરે આવી ઘર પાસે જાહેર શોૈચાલયમાં કુદરતી હાજેતે જઇ પાછો આવતો હતો ત્યારે મારા કાકી તારાબેન સાથે રામ ઉર્ફ રામજી ભાટી, વિજય, આલાજી, શામજી ઝઘડો કરતાં હોઇ મેં તેને સમજાવી કહેલ કે ભૂંગળા તૂટી ગયા હોઇ એ હું રિપેર કરાવી દઇશ.

આ સાંભળી ચારેયે ઉશ્કેરાઇ જઇ મને લાફા મારી પથ્થરમારો કરી ઇજા કરી હતી. મારા કાકાના દિકરા ભૂપત ચંદાજીભાઇ રાઠોડ તથા મારા ભાઇ હેમતભાઇ લાલજીભાઇ રાઠોડ વચ્ચે પડતાં તેને પણ આ ચારેયએ ગાળો દીધી હતી. મને ઇજા થઇ હોઇ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હેડકોન્સ. હિતેષભાઇ જે. જોગડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)