Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાજબેંકના કર્મચારીઓની પ્રમાણીકતાઃ વધારાની રકમ પરત આપી

રાજકોટઃ અહિંના કોઠારીયા રોડ ઉપર આવેલ રાજબેંકમાં પરેશભાઇ ચંદુલાલ પટેલ નામના વ્યકિત બેંકમાં ૯૫ હજાર રૂપિયા ભરવા આવ્યા હતા. તેઓએ તેના કરતાં ૧ લાખ ૪૫ હજાર જેટલી રકમ ભરી દેતા વેરીફાય માટે તેઓને ફોન કરતાં તેઓએ ૫૦ હજાર જેટલી રકમ વધુ ભરી દીધા હોવાનું માલુમ પડેલ. રાજબેંકના બ્રાંચ મેનેજર મુકેશભાઇ પટેલ, એજીએમ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેશીયર મુકેશભાઇ જોગેલાએ પરેશભાઇ પટેલને વધારાની ૫૦ હજાર જેવી માતબર રોકડ પરત કરી હતી.  જે તેમણે ભૂલથી વધુ ભરી દીધેલ. આમ બેંકના અધિકારીઓએ ઉમદા ફરજ બજાવી જેની સર્વત્ર સરાહના થઇ રહી છે.

(11:27 am IST)