Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

કોઠારીયામાં વિજકરંટથી નવોઢાનું મોતઃ પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતા

કચરા પોતા કર્યા બાદ બાલ્કનીમાંથી પાણી ફેંકવા જતાં વિજલાઇનમાંથી કરંટ લાગ્યો

રાજકોટ તા. ૬: કોઠારીયા ગામ રામેશ્વર પાર્ટી પ્લોટ પાસે એક દૂર્ઘટનામાં નવોઢાનું વિજકરંટથી મોત નિપજતાં પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

કોઠારીયા ગામમાં રહેતી શ્રધ્ધાબેન નિર્ભય પટોડીયા (પટેલ) (ઉ.વ.૨૫) સવારે ઘરની બાલ્કનીમાં કચરા પોતા કર્યા બાદ પાણી ફેંકવા જતાં નજીકથી વિજલાઇન પસાર થતી હોઇ તેમાંથી જોરદાર કરંટ લાગતાં બેભાન થઇ ગઇ હતી. તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

કરૂણતા એ છે કે પાંચ મહિના પહેલા જ ૧૨/૧૦/૨૦ના રોજ તેણીના લગ્ન થયા હતાં. તેણીના માવતર માધાપર રહે છે. પતિને સીએનસીનું કારખાનુ છે. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના મનહરસિંહ અને યોગેન્દ્રસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:15 pm IST)