Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

રાજકોટવાસીઓના હૃદયમાં વિજયભાઈનું એક અલગ જ સ્થાનઃ સમસ્ત પટેલ સમાજ દ્વારા ઋણ સ્વીકાર

રાજકોટ,તા.૬ રાજકોટવાસીઓને અપાર સ્નેહ આપનાર અને રાજકોટનો ચોતરફ વિકાસ કરનાર રાજયનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ માત્ર શહેરીજનો જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રે પણ અનેક લાભ ખેડુતોને આપ્યા છે. ખેડુતો માટે અનેકવિધ યોજનાઓ તાત્કાલીકનાં ધોરણે અમલ કરાવેલ જે ખૂબ જ સરાહનીય બાબત છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપી પટેલ સમાજનાં બિઝનેશમેનોને ખૂબ ઉપયોગી બની રહેશે. રાજકોટની વધતા જતાં ટ્રાફીક સમસ્યાનાં નિરાકરણ માટે અનેક રાજમાર્ગો ઉપર ઓવરબ્રિજનું નિમાર્ણનો પ્રારંભ કરાવેલ છે.

વિજયભાઈ રૂપાણીની સૌની યોજનાથી ખેડૂતો સમયસર પાણી વિતરણથી ખેતી પાકને ખૂબ જ ફાયદો થયેલ જે નોંધનીય બાબત છે. ખેતી વાડીની જમીનને લગતા સરકારી કામોમાં સુધારા કરી અને સરળ પ્રક્રિયાનો અમલ કરાવેલ. રાજકોટવાસીઓના હૃદયમાં વિજયભાઈનું એક અલગ જ સ્થાન છે. ત્યારે આ સમારોહમાં તેમને રાજકોટ માટે કરેલ કાર્યોનું ઋણ સ્વિકાર થશે. ત્યારે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સમસ્ત પટેલ સમાજને ઉપસ્થિત રહેવા સર્વશ્રી પરેશભાઈ ગજેરા, વલ્લભભાઈ સતાણી, ભુપતભાઈ બોદર, કુમનભાઈ વરસાણી, ઝવેરભાઈ બુધંલિયા, જયંતિભાઈ સરધારા, કિશોરભાઈ સુપાપરા, અમૃતભાઈ ગઢિયા, નિલેશ ખૂટ દ્વારા અનુરોધ કરાયો છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:30 pm IST)